Posts

Showing posts from May, 2024

Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

Image
 Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.    

ચીખલી ઘોડવણીના સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા.

Image
 ચીખલી ઘોડવણીના  સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા. ઠાકોરભાઈ જે પટેલ તરફથી અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે રોકડ રકમ દ્વારા સંક્લ્પ એજયુકેશન ગૃપને સહાયરૂપ થયા છે  તેઓ ગામ ધોડવણી તા.ચીખલી નવસારીનાં રહેવાસી છે. તેઓ ગાંધીનગર  ખાતે  સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેમણે ગાંધીનગરમાં પણ સમાજ માટે ઘણા કામ કર્યા છે. હાલ તેઓ  જ્ઞાન કિરણ ધોડિયા સમાજ, સુરખાઈ રાનકુવા ખાતે પોતાની નિવૃત્તિનો સમય સમાજના ઉત્કર્ષ માટે ફાળવી સમાજ સેવા કરી રહ્યા છે. તેઓ દર વર્ષે ધોડિયા સમાજના લગ્ન વાંછુક યુવક યુવતીઓ માટે દર વર્ષે પસંદગી મેળાનું પણ આયોજન કરે છે.

Dang: ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ડાંગ એક્ષપ્રેસ મુરલીભાઈ ગાંવિત લગ્નગ્રંથિથી જોડાયા.

Image
       Dang: ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ડાંગ એક્ષપ્રેસ મુરલીભાઈ ગાંવિત લગ્નગ્રંથિથી જોડાયા. ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ભારતીય આંતરરાષ્ટ્રીય દોડવીર અને ખેરગામ વિસ્તારનાં અગ્રણી કાર્યકર તથા આગેવાન  લિતેશભાઈ ગાંવિતનાં ભાતૃ સમાન શ્રી મુરલીભાઈ ગાંવિતના  ડાંગ જિલ્લાના એમના નિવાસ સ્થાન  કુમારબંધ ગામ ખાતે એમના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી  વૈવાહીક જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
 Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

ચીખલીના સૂરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ત્રી દિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન.

Image
   ચીખલીના સૂરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ત્રી દિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન. સમસ્ત આદિવાસી સમાજ. ગુજરાત રાજ્ય એ રજીસ્ટર સંસ્થા છે જેના મુખ્ય ઉદ્દેશો આદિવાસી હિતોનું રક્ષણ, સંસ્કૃતિનું જતન,કાયદાકીય રક્ષણ અને જન જાગૃતિ છે. તેમના દ્વારા ધોડિયા સમાજ મંડળ સુરખાઇ તા.ચીખલી જિ.નવસારી ખાતે તારીખ 15, 16, 17 જૂનના દિને ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ આદીવાસી ઉદ્યોગ મેળામાં 100 થી વધુ વિવિધ પ્રકારના ઉદ્યોગોના સ્ટોલ,  રોજ રાત્રે આદિવાસી સંસ્કૃતિ કલા સંગીત નૃત્યના વારસાના જતન માટે ભવ્ય કાર્યક્રમ,દિવસે વિવિધ વિષય ઉપર સેમિનાર જેવા કે ઉદ્યોગો, સંસ્કૃતિ, સાહિત્ય અને વિવિધ ક્ષેત્રની આદિવાસીઓની સમસ્યા પર વિચાર વિમર્શ કરવામાં આવશે. આદિવાસી સમાજના વિકાસ અને ઉદ્ધાર માટે પ્રમુખશ્રી દ્વારા  સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્યના સભ્ય બનવા માટે આહવાન કરવામાં આવ્યું છે. જેની વાર્ષિક સભ્ય ફી 51/- રૂપિયા અને આજીવન સભ્ય ફી 1001 રૂપિયા છે.  સમસ્ત આદિવાસી સમાજ માટે આપવામાં આર્થિક સહાય કે સભ્ય ફીની આદિવાસી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવાનો લક્ષ નક્કી કરવામાં

ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

Image
    ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

ગૂઢ રહસ્યોથી ભરેલું ડાંગનાં આદીવાસીઓનું લોક જીવન

  ગૂઢ રહસ્યોથી ભરેલું  ડાંગનાં આદીવાસીઓનું લોક જીવન ગુજરાત રાજ્યના છેવાડે આવેલો અને 98% આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો તેના વિલક્ષણ રીત-રિવાજો અને પરંપરાગત કુદરતી સંસ્કૃતિને કારણે ગહન રહસ્યથી ઘેરાયેલો છે. 'માનો યા નમાનો' જેવી ઘટનાઓ અહીં રોજ જોવા મળે છે. ડાંગના શિક્ષિત આદિવાસી શાળાના પટાંગણમાં ધુણતા બાળકો કે પહાડી દેવની પૂજામાં ખૂબ જ આ શિક્ષિત સમાજ   આસ્થા ધરાવે છે.  આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આદિવાસી પ્રકૃતિ દેવતા 'નળદા દેવ' સ્થાનિક ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના આદિવાસી સમુદાયો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં આદિ, વ્યાધિ અને ઉપાધિ માટે માનવામાં આવતી બાધા પૂરી થાય છે તેવી લોક માન્યતા છે. અહીં વિઘ્નો પૂર્ણ કરવાનું લોક વચન પ્રચલિત છે. અહીં બાધાને પૂર્ણ કરવા માટે યજ્ઞની પ્રક્રિયા ખૂબ જ ક્રૂર માનવામાં આવે છે. બલિદાનની ખૂબ જ વિચિત્ર પદ્ધતિમાં, મરઘા, બકરા અને ઘેટાંને તીક્ષ્ણ હથિયારોથી કાપવાને બદલે લાકડાના ફટકા વડે માર મારી‌ બલી ચઢાવવામાં આવે છે. આદિવાસીઓ, મહિલાઓ, બાળકોની સામે જ આ પ્રક્રિયા કુદરતી ગણાય છે. આદિવાસીઓના દેવાધિ દેવ નળદા દેવની આસ્થા અંગ્રેજ

સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું.

Image
     સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના યુવક નિર્મલભાઈ અજીતભાઈ વસાવાએ આદિવાસી સમાજનુ ગૌરવ વધાર્યું હતું.  સુરત જિલ્લાના અંતરીયાળ વિસ્તારના યુવકે ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઇઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને પરીવાર, ગામ, સમાજનુ ગૌરવ વધાર્યું હતુ. શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજય કોલેજના વિદ્યાર્થી અને માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના વતની એવા નિર્મલ ભાઈ અજીતભાઈ વસાવાએ હાલમાં અમદાવાદ,નિકોલ ખાતે ચાલી રહેલ ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઈઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને વાંકલ કોલેજ અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે વાંકલ કોલેજના આચાર્ય ચૌધરી દિપકભાઈ તથા કોચ પ્રો. વિજયભાઇ દવે તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમા રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઉચ્ચ સ્થાન મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી.

Chikhli, surakhai: ચીખલીના સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.

                        Chikhli, surakhai: ચીખલીના  સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.  તારીખ 22-05-2 024નાં દિને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના નિવૃત્ત કર્મચારીઓનું ને સંમેલન સુરખાઈ ધોડિયા સમાજ ભવન તા ચીખલી, જીલ્લા નવસારી ખાતે સફળતાપૂર્વક  કરવામાં આવ્યું હતું.  જેમાં જુદા જુદા વિભાગના અઢીસો જેટલા  કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કલેકટર્સ, ક્લાસ વન ટુ અધિકારીઓ, તબીબો, એન્જિનિયર્સ, બિઝનેસમેન,વિવિધ સરકારી વિભાગો,વિવિધ બેંક, રેલવે એલ.આઇ.સી આઈ.ટી.આઈ, ઓએનજીસી,રિલાયન્સ,પોલીસ મિલિટરી  વગેરે વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમને પ્રમાણિકતાને નિષ્ઠા માટે બિરદાવવામાં  આવ્યા હતા.  સૌએ એક સુરે સમાજની સેવાભાવી પ્રવૃત્તિઓ  જેવી કે શિક્ષણ, આરોગ્ય, ધંધા રોજગારી, વ્યસન મુક્તિ, કાનૂની સહાય, પર્યાવરણ રક્ષણ માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. સાથે જ દરેક લોકોને માર્ગદર્શન માટે ઉપરોક્ત વિભાગોની હેલ્પલાઇન ઉભી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું. સૌની સમાજ પ્રત્યેની લાગણી અને સમાજને ઋણ અદા કરવા માટેની ભાવના

Bardoli cricket tournament news : બારડોલી તાલુકા હળપતિ સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉવા ગામની પ્રથા ઈલેવન વિજેતા

Image
  Bardoli cricket tournament news : બારડોલી તાલુકા હળપતિ સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉવા ગામની પ્રથા ઈલેવન વિજેતા    બારડોલી તાલુકા હળપતિ સમાજ દ્વારા એચ.પી.એલ. ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન બમરોલી ગામના ક્રિકેટ મેદાન પર કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હળપતિ સમાજની ૧૦ ટીમોના ૧૫૦ યુવાનોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન તા.પં.પ્રમુખ જમનાબેન રાઠોડના હસ્તે સમાજના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલમાં ઉવા ગામની પ્રથા ઈલેવન ટીમ વિજેતા બની હતી. જયારે રનર્સઅપ હારવિક ઈલેવન દીપકભાઈ કડોદ ટીમ બની હતી.  સ્પોન્સર કેયૂરભાઈ પરેશભાઈ રાઠોડના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રનર્સઅપ ટીમને સમાજના આગેવાન સેમભાઈ અસ્તાનના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે હળપતિ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના મંત્રી અશ્વિન રાઠોડ, રમેશભાઈ રાઠોડ (તેન), પ્રવીણભાઈ હળપતિ (બારડોલી) અને કડોદ ગામના સમાજ આગેવાન પરુશભાઈ રાઠોડ દ્વારા સમાજના યુવાઓને પ્રોત્સાહિત કરાયા હતા.

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Image
Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

Image
 Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો મં

Andhatri : માંડવીના વિસડાલીયામાં આદિવાસી સમાજનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ.

Image
         Andhatri  : માંડવીના વિસડાલીયામાં આદિવાસી સમાજનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ. આદિવાસી કલાકારો દ્વારા અનેકવિધ કૃતિઓની પ્રસ્તુતિ માંડવી તાલુકાના વિસડાલીયા ગામે આવેલા ભીડભંજન હનુમાન મંદિરે આદિવાસી નૃત્ય અને ગાયનનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર આર્થિક સહયોગથી આયોજિત આ કાર્યક્રમ માંડવી મામલતદાર વસાવા તેમજ ટીડીઓ રવીન્દ્રસિંહ સોલંકીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આદિવાસી સર્વાગી વિકાસ સંથ વાઝરડા (સોનગઢ) નિર્મલાબેન ગ્રૂપે નાચણાની રજૂઆત કરી હતી. આદિવાસી યાહામોગી ગ્રૂપ સાગબારાના કલાકારોએ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી સુંદર કૃતિ રજૂ કરી હતી. ત્યારબાદ લોક ગાયક ઉર્વિબેન રાઠવા, કીર્તિભાઈ ચૌધરીની ટીમે આદિવાસી ટીમલી નાચણા અને લોકબોલીમાં ગાયન રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં સરસ્વતી મ્યૂઝિકલ એન્ડ સાઉન્ડ ગ્રૂપ માલધાનો સહયોગ સાંપડયો હતો. કાર્યક્રમનું સંચાલન ધવલસિંહ સોલંકીએ કર્યુ હતું. સંદેશ સમાચાર

વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ.

Image
     વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ. કુકણા સમાજ વિકાસ મંડળ દ્વારા તોરણવેરામાં કુકણા સમાજના શિબિરમાં વિવિધ મુદ્દે ચિંતન કરાયું. લગ્ન અને દેવ ઉજવણી પ્રસંગોમાં દેખાદેખીથી કરાતા ખોટા ખર્ચ પર કાબૂ મેળવવા અને યુવા વર્ગને વ્યસનમુક્તિ માટે જયંતિભાઈ પવારના અધ્યક્ષપદે એક સામાજિક ચિંતન શિબિર આશ્રમ શાળા તોરણવેરામાં રવિવારે યોજાયો હતો. તાજેતરમાં અવસાન પામેલા મીયાઝરી ગામના સમાજના વડીલ આગેવાન સ્વ. મનુભાઈ રમશુભાઈ માહલાને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સુમનભાઈ રાવત, ખંડુભાઈ માહલા અને મહેશભાઈ ગાયકવાડે એમના વક્તવ્યમાં કહ્યું હતું કે, આપણા સમાજ પાસે ખૂબ સારી રૂઢિપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટો ભાગ દેવામાં ડૂબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યાંથી સવાર માની પગલાં ભરવા જરૂરી છે. હાજર રહેલા સમાજ બાંધવોને આ બાબતે ખુલ્લા મને રજૂઆત અને ચર્ચા કરવા આહ્વાન કર્યું હતું. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારૂનું ચલન બહુ મોટી બદી છે. દેવ-દેવીના પ્રસંગો પણ બાકાત નથી રહ્યા. આવા પ્રસંગોએ

આદિવાસી ધોડિયા સમાજની સંસ્કૃત્તિ |धोडिया समाज की संस्कृति|Culture of Dhodia society

Image
             આદિવાસી ધોડિયા સમાજની સંસ્કૃત્તિ |धोडिया समाज की संस्कृति|Culture of Dhodia society ધોડિયા લોકોની સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે, જે ભારતમાં સ્વદેશી આદિજાતિ તરીકેની તેમની આગવી ઓળખને પ્રતિબિંબિત કરે છે. અહીં તેમની સંસ્કૃતિના કેટલાક પાસાઓ છે: ભાષા: ધોડિયા લોકોની પોતાની ભાષા છે, જે ઈન્ડો-યુરોપિયન ભાષા પરિવારની ભીલ શાખાની છે. તે મુખ્યત્વે તેમના સમુદાયોમાં બોલાય છે અને તેમની અલગ સાંસ્કૃતિક ઓળખ જાળવવામાં મદદ કરે છે. પરંપરાગત પહેરવેશ: ધોડિયા પુરુષો સામાન્ય રીતે પાઘડી અથવા માથાના સ્કાર્ફ સાથે ધોતી (પરંપરાગત પુરૂષોના વસ્ત્રોનો એક પ્રકાર) પહેરે છે, જ્યારે સ્ત્રીઓ બ્લાઉઝ સાથે રંગબેરંગી સાડીઓ અથવા ઘાગરા (લાંબા સ્કર્ટ) પહેરે છે. તેમના પરંપરાગત પોશાકમાં ઘણીવાર વાઇબ્રન્ટ રંગો અને જટિલ પેટર્ન જોવા મળે છે. સંગીત અને નૃત્ય: ધોડિયા સંસ્કૃતિમાં સંગીત અને નૃત્ય આવશ્યક ભૂમિકા ભજવે છે. તેઓ તહેવારો, લગ્નો અને અન્ય ઉજવણીઓ દરમિયાન વિવિધ પરંપરાગત લોકગીતો અને નૃત્યો રજૂ કરે છે. આ પ્રદર્શનમાં ઘણીવાર લયબદ્ધ હલનચલનનો સમાવેશ થાય છે, જેમાં ડ્રમ અને વાંસળી જેવા પરંપરાગત સંગીતનાં સાધનો હોય છે. તહેવારો અન

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

Image
                                                                     આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT

Mangrol (Surat) :માંગરોળ બોરીયાની આકાંક્ષા ચૌધરીએ નોકરીના પ્રથમ પગારમાંથી લાયબ્રેરીને પુસ્તક ભેટ આપી ઋણ અદા કર્યુ

Image
 Mangrol (Surat) :માંગરોળ બોરીયાની આકાંક્ષા ચૌધરીએ નોકરીના પ્રથમ પગારમાંથી લાયબ્રેરીને પુસ્તક ભેટ આપી ઋણ અદા કર્યુ

તાપી : સોનગઢ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અજયભાઇ વળવી પીએચ.ડી. થયા

Image
  તાપી : સોનગઢ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અજયભાઇ વળવી પીએચ.ડી. થયા  સરકારી વિનયન અને વાણિજય કોલેજ સોનગઢમાં સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામણે ગામના વતની અજયભાઇ દીપકભાઈ વળવીએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અપવ્યય પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાઓના સંદર્ભમાં એક સમાજશાસ્ત્રીય અભ્યાસ શીર્ષક હેઠળ મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો,જેને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે આ સમાજશાસ્ત્રીય સંશોધન વી.એમ.સાકરીયા મહિલા આર્ટ્સ કોલેજ બોટાદના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. જયશ્રીબેન સોરઠિયાના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું છે. તેમણે. એમ.ફિલ.ની પદવી પણ મેળવી છે. વર્ષ ૨૦૧૮માં જીપીએસસી દ્વારા સમાજશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર (વર્ગ-૨) તરીકે નિમણૂક થતાં સરકારી વિનયન કોલેજ સાંતલપુર, જિ.પાટણ ખાતેથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. લિખિત આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો.

Image
     ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. લિખિત આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના  પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો. તારીખ: ૧૨-૦૫-૨૦૨૪નાં દિને  સર્વોદય કન્યા છાત્રાલય, પાનખલા, (સાગબારા કોલેજની સામે) તા. સાગબારા, જિ. નર્મદા ખાતે ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. લિખિત આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના : વિધિઓ અને માન્યતાઓનું પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. છેલ્લા ત્રણ દાયકા જેટલા લાંબા સમયથી આદિવાસી સમુદાયોની સંસ્કૃતિના જતન, કદર અને પ્રસારશ્રેણી અંતર્ગત સંશોધન કાર્યો સાથે લેખન કાર્ય કરી આપણને અત્યાર સુધી અનેક પુસ્તકો આપી ચૂક્યા છે. એ જ શ્રેણીમાં હાલ તેમણે દક્ષિણ ગુજરાતના ચાર આદિવાસી સમુદાયો ગામીત, વસાવા, ચૌધરી અને ડાંગીના અનુસંધાને આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના : વિધિઓ અને માન્યતાઓ પુસ્તક તૈયાર કર્યું છે. જેનાં લોકાપર્ણ કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિઓમાં  મણીલાલ હ. પટેલ (પ્રસિધ્ધ સાહિત્યકાર, વિવેચક અને નિવૃત્ત પ્રાધ્યાપક) અને   ડો. ઉત્પલાબેન દેસાઈ (કન્વીનર : ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર) જ્યારે વિશેષ ઉપસ્થિતિમાં  ડો. સી. સી. ચૌધરી (ડાયરેકટર, ટ્રાયબલ રિસર્ચ સેન્ટ

Surat(mangarol): ઓગણીશાના બણભાડુંગરપર આદિવાસી સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી.

Image
   Surat(mangarol): ઓગણીશાના બણભાડુંગરપર આદિવાસી સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી. ચાલુ વર્ષે ખેતીમાં સારી ઉપજ માટે ડુંગર દેવના સ્થાનક પર પ્રાર્થના કરાઈ.           સુરત જિલ્લાના ઉમરપાડા-માંગરોળ- માંડવી સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો વસવાટ કરે છે. આ વિસ્તારોમાં આજે પણ આદિવાસી સંસ્કૃતિ અને રીતભાત જીવંત રાખવા માટે સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. અખાત્રીજ પછીની પાંચમના દિવસે આ ઉત્સવ ઉજવાય છે. સોમવારે સમાજના લોકોએ બણભા ડુંગર પર ઉત્સવ ઉજવ્યો હતો. આ તકે દેવતાઓને ખેતીમાં સારી ઉપજ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. માંગરોળ- માંડવી-ઉમરપાડા તાલુકાના આદિવાસીઓએ મોટી સંખ્યામાં ઉપરોક્ત સ્થળે એકત્રીત થઈ ડુંગર દેવના થાનક પર પ્રકૃતિને લગતી વસ્તુઓ ભેટ સ્વરૂપ અર્પણ કરી હતી. માંગરોળ તાલુકાના ઓગણીશા ગામે આવેલા બણભાડુંગર પર જિલ્લામાંથી આદિવાસી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરી વિસ્તારમાં વસતા અનેક મુળ વતનીઓ પણ ઉત્સવમાં સહભાગી થયા હતા.

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

Image
                                                                                                     NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્

આદિવાસી સમાજનો નવા વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર અખાત્રીજ

Image
   આદિવાસી સમાજનો નવા વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર  અખાત્રીજ. આદિવાસી સમાજનો નવા વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર તરીકે અખાત્રીજને વર્ષોની પરંપરાથી મનાવવામાં આવે છે. આજે અખાત્રીજને દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયના લોકો દ્વારા સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે ખેત ઓજારોની પૂજા ઉપરાંત નવા ધાન્યના વાવેતરની સાથે ગામ અને સમાજના કલ્યાણ માટે કામના કરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી. દરેકે પોતાના ખેતર જઈને કે ઘરમાં પૂજા કરી હતી. ધર્મ ભૂમી સંસ્કૃતિના પૂજક અને રક્ષક એવાં આદિવાસીઓ ખેતી કરતાં હોય વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનું અનેરૂ મહત્વ છે. વર્ષનો પ્રથમ તહેવાર એટલે અખાત્રીજ દરેક ખેડૂત આ દિવસે પોતાના ખેતરમાં કામનું મુહૂર્ત કરી ખેતી કામની શુભ શરૂઆત કરે છે.  દક્ષિણ ગુજરાતના આદિવાસીસમાજમાં આ દિવસે દરેક ઘરના એક એક વ્યકિત પ્રતિનિધિત્વ તરીકે ગામમાં ભેગા થાય છે ફાળો કરે છે અને ગામના ભગત પાસે ગામનાં હિમાર્યા દેવની (ક્ષેત્રપાળ) પૂજા અર્ચના કરવામાં આવે છે. સમયસર અને સારૂ ચોમાસું આવે એવી, ઢોર ઢાંખર સારા રહે, ગામમાં કોઈ રોગચાળોના આવે, દરેક વ્યકિતનું આરોગ્ય સારું રહે, ચોમાસું સારું રહે અને ધનધાન્ય થકી સમૃદ્ધિ વધે એ માટે

ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

Image
ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

Anaval : કોષની બે સગી બહેનોને ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ એનાયત.

Image
    Anaval : કોષની બે સગી બહેનોને ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ એનાયત.